Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયન રેડક્રોસ-રણછોડદાસજી બાપુ હોસ્પિ. દ્વારા
દ્વારકા તા. ૨૬: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ (રાજકોટ) તથા માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે.ચે. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દ્વારકામાં તા. ૨૯-૦૯-૨૫ સોમવારના ૧૧૮મો સદગુરૂ નેત્રયજ્ઞ નિઃશુલ્ક દ્વારકાના નાગેશ્વર રોડ પર આવેલ સ્વામિનારાયણ આશ્રમમાં સવારે ૯:૩૦ થી ૧૧ સુધી યોજાશે.
આ નેત્ર નિદાન કેમ્પમાં રણછોડદાસજીબાપુ હોસ્પિટલ રાજકોટના આંખના ડોકટર્સની ટીમ સેવા આપશે તથા જરૂરિયાતમંદ દર્દીઓને દવા આપવામાં આવશે તેમજ મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને કેમ્પના દિવસે રાજકોટ લઈ જઈ આધુનિક ફેંકો મશીનથી વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી પરત દ્વારકા લાવવામાં આવશે. દર્દીઓને લાવવા, લઈ જવા, રહેવા-જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક રાખેલ છે.
આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. નામ નોંધાવવા માટે કેમ્પના દિવસે સ્થળ પર સવારે ૯ થી ૧૦:૩૦ સુધી રાખેલ છે. કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial