Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૯: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અવસરે જોડિયા રેફરલ હોસ્પિટલમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતોે. જેમાં શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત શ્રીમતી યુપીવી કન્યા વિદ્યાલયની ધો.૧૧ની વિદ્યાર્થિનીઓ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન, તાલુકા પ્રમુખ ચંદ્રિકાબેન, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, હેલ્થ ઓફિસ કર્મચારીગણ ઉપસ્થિત રહૃાા હતા. આ કાર્યક્રમ હેઠળ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી બે સપ્તાહ ઉજવણી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મધ્યપ્રદેશથી લાઈવ પ્રસારણ ૧૨ થી ૧: ૨૫ વાગ્યા સુધી હતું. જેમાં નારી સશક્ત બને તે માટે તબીબી તપાસ અને આરોગ્ય સેવાનો લાભ લેવા, ઉપરાંત કુપોષિત બનેલી સ્ત્રી જાગૃત થાય તે હેતુથી આ અભિયાનની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. દેશનો વિકાસ કરવો હોય તો પહેલા નારીનો વિકાસ કરવો પડશે. નારી સશક્ત બને અને મહિલાઓમાં તબીબી તપાસ, બીપી, ડાયાબિટીસ, ટીબી વગેરે રોગોની તપાસ કરાવવી તેમજ પ્રધાનમંત્રી યોજના આવાસ યોજના, જળ જીવન મિશન, ઘરઘર શૌચાલય, ઉજ્વલા, માતા અને બહેનોની મુશ્કેલીઓ દૂર કરવાના હંમેશાં પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમમાં ધોરણ ૧૧ની વિદ્યાર્થિની બહેનો અને શાળાના શિક્ષિકા મમતાબેન જોશી અને અસ્મિતાબેન કૈલા સહભાગી થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial