Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમોસમી વરસાદથી થયેલા નુક્સાન સામે વાજબી વળતરની માગણી સાથે સોમનાથથી નીકળેલી
કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ખેડૂતોને મોટાપાયે નુક્સાન થયું ત્યારે કોંગ્રેસ પ્રદેશ કમિટી દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી સાથે વિવિધ આઠ માંગણીઓ લઈ સોમનાથથી છઠ્ઠી નવેમ્બરના ખેડૂત આક્રોશ યાત્રાનું પ્રારંભ કરી સૌરાષ્ટ્રના ૧૧ જેટલા જિલ્લાઓમાં ૪૩ર જેટલા ગામડાઓમાં હજારો ખેડૂતો સાથે મળી આજે યાત્રધામ દ્વારકામાં આવી પહોંચી હતી, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર તેમજ ભારત સકાર પર આકરા પ્રહારો કરી ખેડૂત વિરોધી સરકાર હોવાનું જણાવ્યું હતું. ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજના નામે ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોને પડીકું પકડાવી દીધુ હોય તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી નહીં કરે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા શક્તિશાળી લડત સતત ચાલુ રાખવામાં આવશે તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને જોડતી ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial