Advertisement
Author: નોબત સમાચાર

મીનીમમ રૂ. ૧૦૦૦ ની પેન્શનની રકમમાં વધારો કરવાની માગ સાથે આવેદન પાઠવાશે

ઓપરેશન સિંદૂર-ર હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ ઈપીએફ પેન્શન યોજના-૧૯૯પ વંતર્ગત મીનીમમ ૧૦૦૦ રૂપિયાની મર્યાદામાં પેન્શનરો માટે રકમાં વધારો કરવાની માગ સાથે આવતીકાલ તા. ૩-૧૦-ર૦રપ ના મજૂર મહાજન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી માગણી કરવામાં આવશે.

સાર્વજનિક, ખાનગી, જાહેર સાહસો, કારખાના, ડેરી, ખાંડ, સિમેન્ટ, ખાણ, ઉદ્યોગ તેમજ નગરપાલિકા, મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝમાં ફરજ બજાવી નિવૃત્ત થનાર કર્મચારીને મીનીમમ પેન્શનમાં ૭પ૦૦ સુધીના વધારા માટે લડત ચાલી રહી છે.

દેશના ૭૬ લાખ લોકોના ૧૦૦૦ ની મર્યાદામાં પેન્શન મેળવે છે, જે હાલની મોંઘવારીમાં અપૂરતું છે. આટલી રકમમાં સારવારનો ખર્ચ પણ થઈ શકે નહીં.

અનેક વખતની રજૂઆતો છતાં સરકારે યોગ્ય નિર્ણય કર્યા નથી. આથી તા. ૩-૧૦-ર૦રપ ના મજૂર મહાજન સંઘ-જામનગરની આગેવાનીમાં સેવા નિવૃત્ત કર્મચારીઓ પરિવાર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે, જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. તેમ મજુર મહાજન સંઘના જનરલ સેક્રેટરી પંકજ જોષીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh