Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારેક વર્ષથી ચાલતું નિર્માણ કાર્ય પૂર્ણ થતા જ દીવાળી પછી લોકાર્પણની સંભાવના
જામનગર તા. ર૯: સૌરાષ્ટ્રમાં સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજનું જામનગરમાં નિર્માણ થઈ રહ્યું છે. જેનું કામ પૂર્ણતાના આરે છે. દિવાળી સુધીમાં સંપૂર્ણ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ એટલે આશરે સાડાત્રણ કિ.મી.ની લંબાઈના ફ્લાયઓવર બ્રિજનું કામ જામનગરમાં ચારેક વર્ષથી ચાલી રહ્યું છે.
લગભગ સવાબસ્સો કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ ઓવરબ્રિજનું કામ છેલ્લા તબક્કામાં છે જે આશરે એકાદ માસમાં પૂર્ણ થવાની શક્યતા છે.
બાંધકામનું કામ પૂર્ણ થયું છે. હવે પુલની નીચેના ભાગમાં રોડ, પેવર બ્લોકસ અને કલરનું છેલ્લા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. આશરે ૧૪૦ જેટલા પીલર ઉપર ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. જે માટે પાણીની, ભૂગર્ભ ગટરની, વીજળીની લાઈનો ફેરવવાની આમુલ આનુસંગિક કામગીરી કરવાની ફરજ પડી હતી. હવે આ બ્રિજનું દીવાળી પછી કદાચ લોકાર્પણ થઈ શકે છે. આ પછી ટ્રાફિક સમસ્યા હળવી થશે.
આ ઓવરબ્રિજની નીચેના સ્થળે ક્યાંક ક્યાંક ફૂડઝોન, તો ક્યાંક પે-એન્ડ પાર્ક અને સિવિક સેન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial