Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'કૌન જીતા કૌન હારા ભૂલ જાતે હૈ, જશ્ન ઔર ત્યોહાર અબ મિલકર મનાતે હૈ'
જામનગરમાં આ વખતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી એસ.ટી. ડેપોનાં કારણે દર વખત કરતા ઓછી જગ્યામાં શ્રાવણી મેળાનું આયોજન થયું છે. નગરનો મેળો આ વર્ષે વિવાદોનાં ચકડોળે ચડ્યો હતો. કાયદાકીય જંગ હાઇકોર્ટ સુધી પહોંચ્યા પછી મેળા સામેનો કાનૂની અવરોધ દૂર થયો પરંતુ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૧૦ ઓગસ્ટથી મેળો આરંભ ન થઇ શક્યો. ઉપરથી ગઇકાલે તંત્રની કડક કાર્યવાહીથી મેળાનાં વેપારીઓ પણ વિફર્યા હતા અને તંત્રથી નારાજ થઇ એક સમયે મેળો ચાલુ કરવાનો ઇન્કાર કરી દિધો હતો જે પછી તેમની સમસ્યાઓનું પણ નિરાકરણ લાવવાની કવાયત થઇ હતી. આમ અનેક સંઘર્ષ પછી હવે આ વખતનો મેળો આરંભ થવા જઇ રહૃાો છે. ગઇકાલે રાત્રે મેળાનાં વેપારીઓ દ્વારા રાઇડ્સ વગેરેમાં લાઇટસ ચાલુ કરી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું ત્યારે મેળાની રંગબેરંગી રૌશની અનિશ્ચિતતાઓનાં અંધકાર પછી આશાનાં અજવાસ સમાન લાગી રહી હતી. ભલે પાંચ દિવસ મોડેથી આરંભ થાય પરંતુ હવે લોકો મેળાનો લ્હાવો લેવા તત્પર થયા છે. જેમ પ્રતીક્ષા પછી મળેલું સુખ વધુ મધુર લાગે છે એમ આ વખતે અનેક પડકારો પછી મેળાની મોજ માણી સંઘર્ષનો થાક ઉતારી નાંખવા જનતા ઉત્સાહિત હશે... (તસ્વીર : નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial