Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકા સરપંચ એસો. દ્વારા ખેડૂતોને નુકસાનનું વળતર આપવા રજૂઆત

પ્રાંત કચેરીએ આવેદનઃ

                                                                                                                                                                                                      

લાલપુર તા. ૩૧ઃ લાલપુર તાલુકાના ગામોમાં વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જેથી તાત્કાલીક સહાય ચૂકવવા અંગે લાલપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા પ્રાંત કચેરીમાં આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.

કમોસમી વરસાદને કારણે લાલપુર તાલુકાના ખેડૂતોના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. હાલ તાલુકાના ખેડૂતો દ્વારા મહામહેનતથી મગફળી, કપાસ તથા અન્ય ખરીફ પાકનું વાવેતર કરી પાક તૈયાર કરવામાં આવ્યો હતો. પાક લણવાની પ્રક્રિયા શરૂ થવાની હતી, ત્યારે અચાનક પડેલા વરસાદને કારણે પાકનું ધોવાણ થઈ ગયું છે. આ વરસાદના કારણે ખેડૂતોના મગફળી, કપાસ વગેરે પાક બરબાદ થતાં ખેડૂતોને ગંભીર આર્થિક નુકસાન પહોંચ્યું છે. જેથી વરસાદથી નુકસાન પામેલ ખેડૂતોના પાકનો તાત્કાલીક સર્વે કરી વાસ્તવિક નુકસાનનું આલંકન કરવામાં આવે તેમજ ખેડૂતોના ધિરાણ માફ કરાઈ અને પાક નિષ્ફળની સહાય ચુકવવામાં આવે તેવી લાલપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh