Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કડિયા જ્ઞાતિની જગ્યામાં આવેલી છે પાનની દુકાનઃ
જામનગર તા. ૧૩: જામનગરના બેડી નાકા પાસે આવેલી કડિયા જ્ઞાતિની જગ્યામાં પાનની દુકાન ચલાવતા એક વેપારી સામે ટ્રસ્ટના પ્રમુખે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કલેક્ટર સમક્ષ કેસ કર્યાે હતો. તે અરજી દફતરે કરવા કલેક્ટરે આદેશ કર્યાે છે.
જામનગરની ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના ટ્રસ્ટની બેડી નાકા પાસે રામમંદિર બાજુમાં જગ્યા આવેલી છે. તે જગ્યામાં અમૃતભાઈ નાનાણી નામના કડિયા પ્રૌઢ ભાડૂઆત તરીકે રહેલા હતા. તેમની સાથે ભત્રીજો કપિલ સુરેશભાઈ નાનાણી કામ કરતો હતો. તે દરમિયાન છ વર્ષ પહેલાં અમૃતભાઈનું અવસાન થતાં તેઓની પાનની દુકાન કપિલ નાનાણીએ સંભાળી હતી.
તે પછી ટ્રસ્ટના પ્રમુખ નવીન કરશનભાઈ લાખાણીએ તે દુકાન ખાલી કરી આપવા માટે કહ્યા પછી જામનગર કલેક્ટર સમક્ષ કપિલ સુરેશભાઈ નાનાણી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કેસ કર્યાે હતો.
તે અંગે કલેક્ટર સમક્ષ પ્રતિવાદી પક્ષે દલીલ કરી હતી કે, તેમના કાકા અમૃતભાઈનું નિધન થયું તે પછી નિઃસંતાન રહેલા આ વૃદ્ધના વીલથી ભત્રીજા કપિલ સુરેશભાઈને તે ધંધો મળ્યો હતો અને તે દુકાનનું ભાડુ ટ્રસ્ટને ચેક અથવા રોકડથી નિયમિત રીતે ચૂકવાતું રહ્યું છે. તેથી આ દુકાનનો બળજબરીથી કબજો કરાયો હોય તેમ જણાતું નથી. કલેક્ટરે તે દલીલો ગ્રાહ્ય રાખી નવીન કરશનભાઈ લાખાણીની અરજી દફતરે કરવાનો હુકમ કર્યાે છે. કપિલ તરફથી વકીલ ધર્મેન્દ્ર એચ. પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial