Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ગઢેચી ગામના યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ ઝેરના કર્યા પારખા

વિંઝલપરની નદીમાં ડૂબી જતાં પ્રૌઢનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ઓખામંડળના ગઢેચી ગામમાં વસવાટ કરતા એક યુવાને માનસિક બીમારી વળગી હોવાના કારણે કંટાળી જઈ ઝેરી દવા પી જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે કલ્યાણપુરના પીંડારા ગામના એક પ્રૌઢ પોતાના સાઢુભાઈના ઘેર વિંઝલપર ગયા પછી ત્યાં આવેલી નદીમાં ડૂબી જઈ મોતને શરણ થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢેચી ગામમાં રહેતા ગગાભા લાખાભા સુમણીયા નામના આડત્રીસ વર્ષના યુવાન ચારેક મહિનાથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા.

પોતાની બીમારીથી કંટાળી ગયેલા ગગાભાએ ગયા સોમવારે રાત્રે દસ વાગ્યાથી મંગળવારની સવાર સુધીમાં કોઈ ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ થતાં મંગળવારે સવારે આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયાનું દેવુભા લાખાભાએ પોલીસમાં જાહેર કર્યું છે.

કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામમાં વસવાટ કરતા દેવાભાઈ કરણાભાઈ માડમ (ઉ.વ.પપ) નામના પ્રૌઢ સોમવારે પોતાના ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામમાં રહેતા સાઢુભાઈના ઘેર ગયા હતા. જ્યાં તેઓ આવેલી એક નદી પાસે પહોંચ્યા પછી ડૂબી જઈ મોતને શરણ થયા છે. તેમના પુત્ર ભાયાભાઈ દેવાભાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh