Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા માહિતી અધિકારીઓની કાર્યશિબિરઃ જનકલ્યાણકારી યોજના અંગે ચિંતન

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસીય

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧પઃ સૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ અને જૂનાગઢ) ની સંયુક્ત કાર્ય શિબિરનો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ પ્રારંભ થયો હતો.

ચોમાસામાં પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખીલી છે, ત્યારે ધોરાજી પાસે આવેલા પાટણવાવ ગામમાં ઓસમ ડુંગરની તળેટીમાં બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો છે. આ કાર્યશાળમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ જિલ્લા કચેરીઓની કામગીરીની સમીક્ષા સાથે તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓની પ્રચાર પ્રસિદ્ધિ વધુ સારી કેવી રીતે કરી શકાય તે અંગેનું ચિંતન કરવામાં આવશે.

આપત્તિ વ્યવસ્થાપન સમયે સંપાદકીય કામગીરી, વહીવટી બાબતો અંગેની કુશળતા, મેદસ્વિતા મુક્ત અભિયાન સાથે ઓસમ પર્વતનું આરોહણ અને અવરોહણ, યોગ સહિતના આયામો સાથે સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટેનું મનોમંથન આ બે દિવસીય કાર્યશાળામાં કરવામાં આવનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh