Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે રેજાંગલા કળશયાત્રાનું આગમન

આહીર રેજિમેન્ટની માંગ સાથે વિશાળ રેલી યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: આહિર સમાજની શૌર્ય ગાથા રેજાંગલા કળશ યાત્રાનું જામનગર મા આગમન થશે. તા.૧૧/૦૯ ને ગુરૂવારે બપોરે ૩:૩૦ વાગ્યે સોહમનગર આહિર સમાજ, જકાત નાકા, જામનગરમાં કળશ યાત્રા પહોચંશે. જામનગર આહિર સમાજ દ્વારા આ યાત્રાનું ભવ્ય  સ્વાગત કરવામા આવશે.

આહિર રેજિમેન્ટ ની માંગ સાથે જામનગર આહિર સમાજ દ્વારા  સાંજે ૪ વાગ્યે સોહમનગર આહિર સમાજથી સમર્પણ સર્કલ, દિગ્જામ સર્કલ, ખોડીયાર કોલોની, ઓશવાળ સેન્ટર, સાત રસ્તા, લાલ બંગલા સર્કલ, ટાઉન હોલ, વિકટોરીયા પુલ, આહિર સમાજ ગુલાબ નગર સુધી મોટરકાર તેમજ બાઈક  સાથે વિશાળ રેલી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ઈ.સ.૧૯૬૨માં ચાઈના સામે ના યુદ્ધમાં ચીનના ૪૦૦થી વધારે  સૈનિકોને ઘાયલ કર્યા હતા તેમજ ૧૩૦૦ થી સૈનિકોને મોતને ઘાટ ઉતારીને  ભારતના ૧૧૪ વીર આહિર સૈનિક ભાઈઓએ દેશ માટે વીર ગતિ પામ્યા હતાં. આથી ૧૧૪ વીર આહિર સૈનિક ભાઈઓને શ્રદ્ધાંજલી માટે ઓલ ઈન્ડિયા યાદવ મહાસભા દ્વારા સમગ્ર ભારત ના અનેક રાજ્યો તેમજ ગુજરાતના દરેક જિલ્લાઓમાં રેજાંગલા કલશ યાત્રા નુ આયોજન કરવામા આવ્યુ છે. ત્યારે જામનગર આહિર સમાજ દ્વારા આહિર રેજિમેન્ટની માંગ સાથે આયોજીત આ ભવ્ય રેલીમાં જામનગર આહિર સમાજના ભાઈઓ અને બહેનો, સામાજિક તેમજ આહિર સમાજ રાજકીય અગ્રણીઓને રેલી દરમિયાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે. રેલીનું સંચાલન આહિર સેના ગુજરાત દ્વારા કરવામા આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh