Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આપ'ના જિલ્લા પ્રમુખનો આક્રોશઃ
જામનગર તા. ર૧: તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પ૦ ટકા ટેરિફ લાદ્યો છે, ત્યારે કેન્દ્ર સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના કરોડો ખેડૂતોને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે દેશના ખેડૂતો સાથે કોઈપણ જાતનો અન્યાય નહિં થાય અને ભાજપ સરકાર દ્વારા મોટી ડંફાશો મારી તેનો ખૂબ જ પ્રચાર પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે દેશના વડાપ્રધાન દ્વારા અમેરિકાના દબાણમાં આવી અમેરિકા, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આયાત થતા કપાસ પર જે ૧૧ ટકા ડ્યુટી હતી ને નાબૂદ કરી ૦ ટકા કરવામાં આવી, તેનાથી અમેરિકા જેવા દેશોમાંથી પુષ્કળ પ્રમાણ કપાસ આયાત કરવા અને વિદેશોને વેપાર કરવા લાલ જાજમ પાથરવામાં આવી છે.
વિદેશમાં ખેડૂતલક્ષી નીતિના કારણે ત્યાં કપાસના બિયારણોમાં આધુનિક બી.ટી. ૯ સુધીની મંજુરીઓ આપવામાં આવેલ છે. તેનાથી ત્યાં લીઘે ૭૦ મણ કપાસ ઉત્પાદન થાય છે, જ્યારે તેની સામે ભારતમાં બિયારણ સંશોધન હોવા છતાં બી.ટી. ર ની જ મંજુરી આપવામાં આવી હોવાથી આપણા ખેડૂતોને વીઘે સરેરાસ ૧પ થી ર૦ મણ જ ઉત્પાદન થાય છે, તેથી આપણા ખેડૂતોની કપાસ ઉત્પાદન પડતર કિંમત વધી જાય છે. 'ઘરના ખેડૂતો ઘંટી વગાડશે અને વિદેશીઓ વેપાર કરશે' તે ઉપરાંત આ નિર્ણયથી દેશના કપાસ પકવતા કરોડો ખેડૂતોની મજાક કરવામાં આવી છે. અમેરિકાના દબાણમાં લેવામાં આવેલો આ નિર્ણયથી ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રના લાખો ખેડૂતો પ્રભાવિત થશે. તેમના કપાસનો યોગ્ય ભાવ નહિં મળે અને ઉતાવળે લીધેલા આ નિર્ણય ખેડૂતોને પગ ઉપર કૂહાડાના ઘા સમાન સાબિત થશે.
આ નિર્ણયથી કેન્દ્રિય ભાજપ સરકારે ફરીવાર સાબિત કર્યું છે કે તેમની સરકાર ખેડૂતોની નહિં પણ ઉદ્યોગપતિઓની સરકાર છે. ખેડૂતોને પાયમાલ કરવા માટે લેવામાં આવેલ આ નિર્ણયને આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે વખોડી કાઢી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial