Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૩૦ હજાર રોકડા, પ૦ હજારના દાગીના ચોરાયાઃ
જામનગર તા. ૨૭: ધ્રોલના ગોકુલ પાર્ક-રમાં રહેતા એક ખેડૂત પોતાના પરિવાર સાથે ધોકાની રાત્રે બહાર ગયા પછી વહેલી સવારે પરત આવ્યા તે દરમિયાન તેમના મકાનમાંથી રૂ.૮૦ હજારના દાગીના, રોકડની ચોરી થઈ ગઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ધ્રોલ શહેરના ગોકુલ પાર્ક-રમાં રહેતા અને ખેતીકામ કરતા મૂળ મોટા વાગુદળ ગામના પરેશભાઈ નારણભાઈ દલસાણીયા નામના આસામી ધોકાની રાત્રે પોતાનું મકાન બંધ કરીને બહાર ગયા પછી જ્યારે બેસતા વર્ષે વહેલી સવારે પાંચેક વાગ્યે પરત આવ્યા તે દરમિયાન તેમના મકાનના દરવાજાનું તાળું તોડી કોઈ તસ્કરોએ ચોરી કરી લીધી હતી.
તાળું તોડીને તે મકાનમાં ઘૂસી ગયેલા તસ્કરોએ અંદર રહેલા કબાટના દરવાજાનો લોક તોડી નાખી તેમાં રહેલી તિજોરી પણ તોડી નાખી હતી. તેમાંથી રૂ.૩૦,૦૦૦ રોકડા તથા રૂ.૫૦,૦૦૦ના સોના, ચાંદીના દાગીના મળી કુલ રૂ.૮૦ હજારની મત્તાની ચોરી કરી લીધાની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પરેશભાઈ દલસાણીયાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial