Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નશાની હાલતમાં પડી ગયેલા પ્રૌઢનું નિપજ્યું મૃત્યુઃ
જામનગર તા. ૩: જામજોધપુરના નંદાણા ગામના એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક વૃદ્ધ બુધવારની રાત્રે લાપત્તા બન્યા પછી રવિવારે બપોરે તેમનો મૃહદેત કોહવાઈ ગયેલી હાલતમાં ખેતરના શેઢેથી મળ્યો છે. પોલીસે ખેતર માલિકનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે નશાની હાલતમાં રોડ પર પડી ગયેલા અન્ય એક પ્રૌઢનું સારવારમાં મૃત્યુ થયું છે.
જામજોધપુર તાલુકાના નંદાણા ગામના વાડી વિસ્તારમાં આવેલા ગોવિંદભાઈ બોદરના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા જીતુભાઈ છગનભાઈ વસાવા નામના માંગરોળના વતની ૬૪ વર્ષના વૃદ્ધ ગયા બુધવારની રાત્રે તે ખેતરમાં હતા. ત્યાર પછી ગુરૂવારની સવારથી જોવા મળ્યા ન હતા.
આ વૃદ્ધની ચાલી રહેલી શોધખોળ વચ્ચે તેઓનો કોહવાઈ ગયેલો મૃતદેહ આ જ ખેતરના શેઢેથી ગઈકાલે બપોરે મળી આવ્યો છે. ખેતર માલિક ગોવિંદભાઈ ઉકાભાઈ બોદરે પોલીસને જાણ કરી છે. દોડી ગયેલી શેઠવડાળા પોલીસ ટીમે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડવા ઉપરાંત વૃદ્ધના મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલી સંસ્કારધામ સોસાયટી પાસેથી ગઈ તા.૨૪ના દિનેે સવારે નેતરાજ નાનાલાલ નામના ૫૫ વર્ષના પ્રૌઢ નશાની હાલતમાં રોડ પર પડી જતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ પ્રૌઢનું સારવારમાં મૃત્યુ નીપજ્યું છે. સમાજસેવક હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial