Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' માં જલારામ જયંતીની શ્રદ્ધાપૂર્ણ ઉજવણી
'છોટીકાશી' જામનગરમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતી નિમિત્તે સાધના કોલોની વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિરે મહાઆરતી, અન્નકૂટ ઉત્સવ તથા મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. સાંજે મંદિરમાં પૂ. જલારામ બાપા સમક્ષ વિવિધ મિષ્ટાન - પકવાનનો ભોગ અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતીમાં ભક્તોની મેદની ઉમટી હતી. મહાઆરતી પછી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું. હજારો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને 'જય જલારામ' નાં નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial