Advertisement
Author: નોબત સમાચાર

માવઠા-વરસાદના કારણે ઘી ડેમ ત્રીજી વખત ઓવરફ્લોઃ પાટીયા બંધ કરવા માંગણી

આ વર્ષે ખંભાળીયામાં ફરી વરસાદનો રાઉન્ડ આવતા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩૧ઃ ખંભાળીયામાં છેલ્લા ૬ વર્ષથી ૯૦/૧૦૦ ઈંચ વરસાદ પડે છે ત્યારે આ વર્ષે માત્ર ૨૪ ઈંચ વરસાદમાં ઘી ડેમ છલકાઈ ગયો હતો. જે પછી ફરી વરસાદનો રાઉન્ડ આવતા બીજી વખત ડેમ છલકાયો હતો. ચોમાસામાં ખેડૂતોને ઘી સિંચાઈમાંથી પાણી ફાળવાયું હતું તે પછી તાજેતરમાં અઢી ઈંચ વરસાદ પડતા તથા ઘી ડેમના ઉપરવાસમાં ફરીથી નદીઓ છલકાઈ જતાં ગઈકાલે  ૧૯ ફૂટ રહેલો ઘી ડેમ ફરીથી ૨૦ ફૂટ ઉપર થઈ જતાં ઓવરફ્લો થયો છે. સિંચાઈ માટે ખેડૂતોને શિયાળુ પીયતમાં ખૂબ ફાયદો થશે. તો ખંભાળીયા શહેર તથા બાવીસ ગામોની પા.પુ. યોજનાને પણ ફાયદો થશે.

ઘી નદીના પાટીયા બંધ કરવા માંગ

દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં ખામનાથ પાસેના ઘી નદી પરના પાટીયા ખોલી નખાય છે. જેથી ઘી ડેમ છલકાતા ઉપરવાસથી પૂરના પાણીમાં નદી સાફ થઈ જાય તથા ગાંડી વેલ, કચરો નીકળી જાય !! પરંતુ આ વખતે માત્ર ૨૬ ઈંચ જ વરસાદ પડયો હોય, ડેમ ત્રણ વાર છલકાયો પણ મોટું પૂર ના નીકળતા ગાંડી વેલ તથા ગંદકી સાફ ના થઈ પણ ફરીથી ડેમ છલકાયો છે ત્યારે ખામનાથ ઘી નદીના પાટીયા બંધ કરવા માંગ કરાઈ છે, કેમ કે ગાંડી વેલ છતાં ડેમનું પાણી મોટા પ્રમાણમાં વહી જતું હોય તે પાટીયા બંધ ને કારણે રોકાતા ચોમાસા સુધી નજીકના વિસ્તારોના કૂવા, બોર તથા ડંકીઓ રીચાર્જ થતાં પાણીનો પ્રશ્ન થતો નથી જેથી હાલ મોટા જથ્થામાં પાણી ઉપરથી આવતું હોય નદીના પાટીયા બંધ કરવા માંગ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh