Advertisement
Author: નોબત સમાચાર

'કાપડની થેલીનો ઉપયોગ કરો' ના સંદેશ સાથે શાળામાં યોજાયો કાર્યક્રમ

"પ્લાસ્ટિક બેગ્સ" બંધ કરો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના પ્રમુખ શશીકાંતભાઈ મશરૂના અધ્યક્ષસ્થાને બેડેશ્વર, ધરારનગર-૧, ખોળમીલના ઢાળીયા પાસેથી ન.પ્રા.શિ.સમિતિ શાળાનં. ૫૫માં વિદ્યાર્થીઓ તથા વાલીઓની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક બેગ બંધ કરો અને કાપડની થેલીનો જ ઉપયોગ કરો ના સંદેશ સાથે ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

પ્લાસ્ટિક બેગ્સના ઉપયોગથી થતા ગંભીર નુકસાન અંગે શશિકાંત મશરૂ દ્વારા માહિતી આપવામાં આવી હતી, જ્યારે શાાળાના આચાર્ય સંજયભાઈ ભાતેલીયા દ્વારા વધુ ને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના પ્રમુખ દ્વારા શાળાની ૨૨૬ વિદ્યાર્થીનીઓને કાપડની થેલીઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સંજયભાઈ ભાતેલીયા ઉપરાંત ચેતનાબેન ગોધાણી, ભાવિનાબેન વાછાણી, મિતલબેન ધરસંડીયા, ધારાબેન જાવીયા, મીનાબેન ચોવટીયા, જગદીશભાઈ આંબલીયા, નિશાંતભાઈ ગોપયાણીએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh