Advertisement
Author: નોબત સમાચાર

ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી એમએસપીની વ્યવસ્થા કરવા રજૂઆત

ધારાસભ્ય હેમંત ખવા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામજોધપુર-લાલપુર વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવા તથા ડુંગળી માટે એમએસપીની વ્યવસ્થા કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હોવાથી બજારમાં વધુ પુરવઠો ઠલવાઈ રહ્યો છે. ખેડૂતોને હાલ ડુંગળીના ભાવ પ્રતિકિલો માત્ર૩ થી ૭ રૂપિયા જેવો મળે છે, જેથી ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં મૂકાય ગયા છે. ખેડૂતોને વ્યાજબી ભાવ મળતા નથી, સરકારી એજન્સીઓ દ્વારા ખરીદી કે અન્ય નિયંત્રણની કોઈ અસરકારક વ્યવસ્થા નથી.

ડુંગળી માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ની વ્યવસ્થા કરી ભાવ નક્કી કરવા જરૂરી છે અને તે ભાવે ખરીદી કરવાની ખાતરી સરકારે આપવી જોઈએ. ડુંગળીના સંગ્રહ માટે વેરહાઉસની સુવિધા પૂરી પાડવા માગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh