Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાઃ શારદાપીઠ વિદ્યાલયની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઉજવાયો 'સંસ્કૃત દિવસ'

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૬: અનંતશ્રી વિભૂષિત શ્રીમદ્ જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદથી શારદાપીઠ વિદ્યાલયની સમસ્ત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંસ્કૃત દિવસનો ઉત્સવ શ્રાવણ પૂર્ણિમા દિવસે શ્રી શંકરાચાર્ય ગુરુકુળ ઝાયડીમાં ઉજવવામાં આવ્યો હતો.

જેમાં શારદાપીઠ કોલેજના આચાર્ય વાઢેર તથા અધ્યાપકો, શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદની સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડો. કુલદિપભાઈ પુરોહિત, શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદતીર્થ વેદ વિદ્યાલયના આચાર્ય પ્રકાશભાઈ પાન્ડેય તથા ભારતીય ચતુર્ધામ વેદભવન સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય પ્રવિણભાઈ મહેતા, શારદાપીઠ વિદ્યાસભાના ટ્રસ્ટી રવિ બારાઈ, તથા અનેક સંસ્કૃતાનુરાગીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં ગુરુકુલમ્ના છાત્રો દ્વારા વૈદિક મંગલાચરણ કરવામાં આવ્યું તથા છાત્રો દ્વારા સંસ્કૃતગીતો, સ્ત્રોત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. મધ્યમા (ધો. ૧૧) ના છાત્રો દ્વારા ન્યાયશાસ્ત્રના સાત પદાર્થ અને નવ દ્રવ્યોનું પ્રતિપાદન કરવામાં આવ્યું, અને અંતે પાઠશાળાના પ્રાધ્યાપક ગૌતમભાઈ તથા ઉદયભાઈએ છાત્રોને સંબોધિત કર્યા હતાં. આભારવિધિ ડો. નૈમિશભાઈ મહેતાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સાગરભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh