Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સહજાનંદ, તુલસી અને સિલ્વર પાર્કના રહેવાસીઓ બદતર રસ્તાથી પરેશાન

તાત્કાલિક માર્ગ મરામત કરી સુવિધા આપવા માંગ

                                                                                                                                                                                                      

જામનગરમાં વોર્ડ નંબર ૧પ મા રણજીતસાગર માર્ગ પરથી સહજાનંદ પાર્ક, તુલસી પાર્ક અને સિલ્વર પાર્ક વિસ્તારમાં રસ્તાની બદતર હાલતથી ત્યાંના રહેવાસીઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. યોગ્ય રસ્તાની સુવિધાના અભાવે ત્યાંના રહેવાસીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવરજવર માટે લોકોને અનેક મુશ્કેલી પડે છે. આથી ત્રાસી ગયેલા લોકો આજે રસ્તા ઉપર ઉતર્યા હતાં અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મહાનગરપાલિકા સત્વરે રસ્તાની મરામત કરી સુવિધા પૂરી પાડે તેવી માંગણી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh