Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં દસ જિલ્લાઓમાં લાંબા સમયથી જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા ખાલી...!

જામનગર જિલ્લા સહિત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૬: ગુજરાત રાજ્યમાં જામનગર, રાજકોટ, બોટાદ સહિત રાજ્યમાં ૧૦ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીઓની તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા ખાલી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ ગ્રામ્યમાં એક અઠવાડિયામાં ત્રણ ડી.ઈ.ઓ. બદલાતા ભારે ચર્ચા જાગી છે.

અમદાવાદ શહેરના જિ.શિ. કૃપા ઝા ની તાકીદની અસરથી સીંગલ ઓર્ડરથી વિભાગ સચિવ કક્ષાના અધિકારી દ્વારા વિના જાવક નંબરના સ્પેશ્યલ ઓર્ડરથી બદલી મહીસાગર જિ.નિ. તરીકે થઈ હતી. ત્યાર પછી તેમનો ચાર્જ અમદાવાદ ગ્રામ્ય ડી.ઈ.ઓ.ને સોંપાયેલા તેના એક સપ્તાહમાં જ ફરીથી આ જગ્યાનો ચાર્જ તેમને બદલીને ગાંધીનગર ડી.ઈ.ઓ. નો ચાર્જ સોંપાતા સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે.

જામનગર, રાજકોટ જેવા મોટા જિલ્લાઓમાં પણ દોઢ-બે વર્ષથી જગ્યા ખાલી હોય, જિ.શિ.નો વહીવટ ઈન્ચાર્જોના થીગડાંથી ચાલે છે. ત્યારે પંદર પંદર જિ.શિ.ની ખાલી જગ્યાઓ વચ્ચે પ્રવેશોત્સવ અને ગુણોત્સવ ના તાયફા કરવા પણ ભારે ચર્ચાસ્પદ બન્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh