Advertisement
Author: નોબત સમાચાર

નગર પ્રા.શિ. સમિતિના ત્રણ શિક્ષકો પ્રાથમિક શિક્ષક સંઘથી પણ નારાજ

જામનગરમાં શિક્ષાત્મક બદલીનું પ્રકરણ હજુ ગૂંજી રહ્યું છેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલીનું પ્રકરણ હજી ગૂંજી રહ્યું છે. શિક્ષક સંઘના પ્રમુખે કેટલાક એસએમએસ વહેતા કરતા આ ભોગ બનનાર શિક્ષકોમાં નારાજગી ફેલાઈ છે.

જામનગરની શાળા નંબર ર૯ ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરવામાં આવી હતી. આ મુદ્દે ત્રણેય શિક્ષકો દ્વારા શાસનાધિકારીને પત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી અને જરૂર પડ્યે કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી છે. બીજી તરફ પ્રાથમિક શિક્ષક સંઘે પણ અગાઉ પત્ર લખીને ન્યાય કરવા રજૂઆત-માગણી કરી હતી.

પરંતુ પછી કોઈ ખાસ તાત્પરતા શિક્ષક સંઘ દ્વારા દાખવવામાં નહીં આવતા નારાજગીના સૂર વહેતા થયા છે, પરંતુ કોઈપણ કારણોસર શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ અમુક મેસેજ વાયરલ કર્યા હતાં જેનાથી બદલીનો ભોગ બનેલા શિક્ષકોમાં નારાજગી જોવા મળી છે.

આમ શિક્ષક સંઘના હોદ્દેદારો શિક્ષકોને જ ન્યાય અપાવી નહીં શકતા હોવાનો માહોલ ઊભો થતા શિક્ષકો ધીમે ધીમે સંઘથી નારાજગી અનુભવી રહ્યાં હોવાનું અને વિમુખ થઈ રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh