Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં મીઠી વિરડી વિસ્તારમાં ડીમોલિશન નહીં કરવા રજૂઆત

આમઆદમી પાર્ટી દ્વારા

                                                                                                                                                                                                      

કાલાવડ તા. ૩૧: કાલાવડમાં મીઠી વિરડી તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘણાં સમયથી દરેક સમાજના લોકો કાચા-પાકા મકાનો બાંધીને રહે છે.

ભાજપ સરકારના ચૂંટાયેલા સભ્યો દ્વારા આ વિસ્તારમાં રસ્તો બનાવવા માંગે છે. જેથી મામલતદાર કચેરી દ્વારા મકાનો તોડવાની નોટીસો આપવામાં આવતા આમઆદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને ગરીબ લોકોના મકાનોનું ડિમોલીશન કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં કાલાવડ-૭૬ વિધાનસભાના પ્રભારી કે.પી. બથવાર, કાલાવડ શહેર આમઆદમી પાર્ટીના પ્રમુખ રમેશભાઈ વણપરીયા, કાલાવડ તાલુકા પંચાયતના સદસ્ય દયાબેન મકવાણા, સિનિયર નેતા લલિતભાઈ મકવાણા, યુવા પ્રમુખ સાહીલભાઈ, આમઆદમી પાર્ટીના પ્રવક્તા દર્શનભાઈ ઠાકર તથા અમજદખાન પઠાણ વિગેરે જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh