Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક શાખાએ જુદા જુદા વિસ્તારોમાં કરી ડ્રાઈવઃ
જામનગર તા. ૮: જામનગરના સાંકળા રાજમાર્ગાે પર ફાયર સાયલેન્સર લગાવી પુરપાટ બાઈક દોડાવતા ૧૭ આસામીના વાહન ટ્રાફિક પોલીસે ડીટેઈન કરી લીધા છે. આવા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
જામનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં બુલેટ જેવા મોટરસાયકલોમાં ફાયર સાયલેન્સર મુકી ઘોંઘાટ પ્રસરાવતા અને રાહદારીઓમાં ભય ફેલાવતા શખ્સો સામે કાર્યવાહી કરવા સૂચના અપાતા ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જરની સૂચનાથી પીએસઆઈ આર.એલ. કંડોરીયા, એ.એચ. ચોવટ, આર.સી. જાડેજા, એમ.જે. વાળાના વડપણ હેઠળ ચાર ટીમ હરકતમાં આવી હતી.
શહેરના પંચવટી સર્કલ, સમર્પણ હોસ્પિટલ, જોગસ પાર્ક વગેરે વિસ્તારોમાં પોલીસે ચકાસણી કરતા આ પ્રકારના ૧૭ બાઈક મળી આવ્યા હતા. તે તમામ બાઈકને પોલીસે ડીટેઈન કરી લઈ કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના જાહેર રસ્તાઓ પર ઓવર સ્પીડમાં વાહન ચલાવતા અને આડેધડ ડ્રાઈવીંગ કરતા વાહનચાલકો પર પોલીસની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમ પણ બાજનજર રાખી રહી છે. ત્યારે પોતાની તથા અન્ય વાહન ચાલકોની સલામતી માટે ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial