Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની ભાજપ સરકારના વહીવટી અને સંવેદનશીલતા અંગે પ્રશ્નાર્થ
ખંભાળિયા તા. ૩૦: સામાન્ય રીતે સરકારી નિયમો તમામ માટે સરખા હોવાનું કહેવાય છે, પણ દ્વારકા-જામનગર, હાલાર, જિલ્લામાં આ નિયમ ખોટો સાબિત થઈ રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ ર૭ જેટલાઓ ૩૦/૩૧ વર્ષથી રોજમદાર તરીકે કામ કરે છે. તેમને કાયમી કરાયા નથી, તો તેમના પછી આવેલાને કાયમી કરી દેવાયા હોય, જુદા જુદા વિભાગોમાં કામ કરતા આ કર્મચારીઓ જામનગર લેબર કોર્ટમાં જતા ત્યાં તેમને કાયમી કરવા હુકમ થતા તાત્કાલિક આદેશમાં ઓર્ડર પણ તૈયાર કરાવ્યા પણ પછી રાજકીય વાંધો પડતા કાયમી ના થતા કર્મચારીઓ હાઈકોર્ટમાં ગયા ત્યાં પણ તેમને કાયમી કરવા તથા હક્કની રકમ જુની અસરથી આપવા હુકમ થયો હતો, જેની સામે પાલિકા દ્વારા ડબલ જજની હાઈકોર્ટ બેચમાં અપીલ કરાતા તેમાં આ કર્મચારીઓની કાયમી અરજી કરવાની કાઢી નાખતા ગુજરાતમાં રોજમદાર કર્મીઓના રેકોર્ડ રૂપે આ કર્મચારીઓ હાલ સુપ્રિમ કોર્ટમાં ગયેલા છે, ત્યારે નવાઈની વાત એ છે કે દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આ રોજમદારોના હાઈકોર્ટમાં ચાલતા કેસમાં સરકાર તરફથી સોલીસીટર જનરલ લડવા આવેલા તે પણ રેકોર્ડ છે, જો કે આવા જ રોજમદારો અને તે પણ આ કર્મચારીઓની ઓછી નોકરીઓ રોજમદારીમાં કરેલા કાલાવડ, જામજોધપુર, દ્વારકાનાને કાયમી કરી દેવાયા પણ ખંભાળિયાના કર્મીઓને નહીં. ખરેખર સરકારનો નિયમ તમામને સમાન હોય તો ખંભાળિયામાં અન્યાયી કેમ? ર૭ કર્મચારી રોમજદારો લડતા લડતા કેટલાક નિવૃત્ત થઈ ગયા તો કેટલાયે પ્રભુ પાસે ઉપર પહોંચી ગયા છે, પણ આ કેસનો નિકાલ નથી આવ્યો. આ સમગ્ર જિલ્લામાં ચર્ચાપાત્ર પ્રકરણ બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial