Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સપડા ગામની ગોળાઈમાં રોકી લઈ માર મારવામાં આવ્યોઃ
જામનગર તા. ૧૭: જામનગરના મીયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધાના ખારના કારણે એક યુવાન પર ધોકા-છરીથી હુમલો કરી માર મારવામાં આવ્યો હોવાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના મીયાત્રા ગામમાં રહેતા પ્રવિણસિંહ રણજીતસિંહ કેર તથા તેમના જ ગામના વનરાજસિંહ પરમાર બંને ટ્રેક્ટરનો વ્યવસાય કરતા હતા. તેના ધંધાખારના કારણે ઉશ્કેરાયેલા વનરાજસિંહે શનિવારે સવારે જ્યારે પ્રવીણસિંહ પોતાનું ટ્રેક્ટર લઈને સપડા ગામ તરફ જતા હતા ત્યારે તેની ગોળાઈમાં રોકી લીધા હતા.
ત્યારપછી વનરાજસિંહે ધોકાથી પ્રવીણસિંહ પર હુમલો કરવા ઉપરાંત પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી હાથમાં હુલાવી દેતા પ્રવીણસિંહને પહોંચાના ભાગે ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવ્યા પછી પ્રવીણસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial