Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેળા દરમિયાન એસ.ટી.ની બસોના આવન-જાવનના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાશેઃ
જામનગરના મેળા મેદાનનું આજે કમિશનર, એસ.પી. અને તેની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી, અને જરૂરી આયોજન માટે સંબંધિત વિભાગના અધિકારીને સૂચના આપવામાં આવી હતી. જામનગર મહાનગરપલિકા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છ ે. આજે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ પોતાની ટીમ સાથે મેળા મેદાનની મુલાકાત લીધી હતી. ખાસ કરીને મેળામાં આવન-જાવનના રસ્તાની સુવિધા અંગે નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત ખાસ કરીને મેળો માણવા આવતા લોકોના વાહન પાર્કિંગની સુવિધા પ્રદર્શન મેદાન સામે કોલેજના મેદાનમાં કરવામાં આવશે, તેવી પણ ચર્ચા કરાઈ હતી. આ કમિશનર ટીમ દ્વારા તળાવની પાળે જોડતા ફોર લેન રોડનું કામ ચાલે છે. તેની પણ વિઝિટ કરવામં આવી હતી. આ સમયે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ પોતાની ટીમ સાથે મુલાકાતમાં જોડાયા હતાં. તેમની ટીમ દ્વારા વ્યવસ્થા અંગે નિરીક્ષણ કરાયું હતું. આ મુલાકાત સમયે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈન્સ્પેક્ટર ભાવેશ જાની, તેમજ મુકેશ વરણવા, પોલીસ વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા, ઈન્સ્પેક્ટર એન.એ. ચાવડા, એમ.બી. ગજ્જર સહિતનાઓ પણ જોડાયા હતાં. પ્રદર્શન મેદાનમાં હાલ બસ ડેપો કાર્યરત છે, જ્યાં દરરોજ અસંખ્ય બસો આવન-જાવન કરે છે. આથી ટ્રાફિક સમસ્યા સર્જાવવાની પૂરેપૂરી શક્યતા છે, જો કે તેના નિરાકરણ માટે હાલના સંબંધિત તંત્ર દ્વારા કોઈ ખુલાશો થયો નથી. હવે તો મેળા શરૂ થાય અને ટ્રાફિકના શું હાલ જોવા મળશે એ તો આવનારો સમય કહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial