Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશઃ
જામનગર તા. ૮: જામનગરના એક ટ્રાન્સપોર્ટરે વાડીનારના નાના આંબલા ગામના આસામી સામે કરેલી રૂ.૧૨ લાખના ચેક પરતની ફરિયાદમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. જામનગરની માસ્તર સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા અનિરૂદ્ધસિંહ કિરીટસિંહ જાડેજા પાસેથી વાડીનારના નાના આંબલા ગામમાં રહેતા યુનુસ ઈબ્રાહીમ ગજણે હાથઉછીના રૂ.૧૨ લાખ મેળવ્યા હતા.
તે રકમની પરત ચૂકવણી માટે અપાયેલો ચેક બેંકમાંથી પરત ફરતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ નોટીસ આપ્યા પછી અદાલતમાં ધી નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ કરી હતી. તે ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપી યુનુસ ઈબ્રાહીમ ગજણને બે વર્ષની સજા, રૂ.૧૨ લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial