Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઓવરબ્રિજ-મેજર બ્રિજનું પ્રભારી સચિવ અનુપમ આનંદ દ્વારા નિરીક્ષણ

મેજર, માઈનોર તથા નબળા બ્રિજની માહિતી મેળવી અધિકારીઓને માર્ગદર્શનઃ

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદે આજે જામનગરના દિગ્જામ સર્કલ દ્વારકા રોડ પરના ઓવરબ્રિજ અને મોખાણામાં નાગમતી નદી પરના મેજર બ્રિજની રૂબરૂ મુલાકાત લઈ તેનું ઝીણવટભર્યું  નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પ્રભારી સચિવશ્રીએ જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન. મોદી અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી વિજય ગોસ્વામી પાસેથી જામનગર જિલ્લા હેઠળના માર્ગ અને મકાન વિભાગના મઈનોર અને મેજર બ્રિજ, નબળા બ્રિજ, તેમજ નિર્માણ હેઠળના બ્રિજ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. સાથે જ તેમણે સમયાંતરે થતા બ્રિજના નિરીક્ષણની સમયાવધિ, બ્રિજનું સ્ટ્રક્ચર અને ગુણવત્તા સંબંધિત વિગતો પણ જાણી હતી અને પ્રભારી સચિવશ્રીએ જરૂરી સૂચનો કરીને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh