Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો યોજાય તો
જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળા દરમિયાન પાર્કિંગ માટે ડી.સી.સી. ગ્રાઉન્ડ તથા આઈ.ટી.આઈ.માં વ્યવસ્થા ગોઠવાઈ છે. જામનગરના શ્રાવણી મેળામાં ટ્રાફિક નિયંત્રણ અને વાહન પાર્કિંગ માટે એમ.પી. શાહ કોમર્સ કોલેજનું મેદાન સમથળ કરાયું છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૧૦ ઓગસ્ટથી ૨૪ ઓગસ્ટ સુધીના શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે, ત્યારે ટ્રાફિક નિયંત્રણ તેમજ વાહન પાર્કિંગના મુદ્દે પણ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ડી.સી.સી. હાઈસ્કૂલ પાછળના મેદાનની વિશાળ જગ્યા તેમજ આઈ.ટી.આઈ.નુ મેદાન વગેરે સ્થળે પાર્કિંગ કરવા માટેની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
જામનગરના પ્રદર્શન મેદાનની સામે આવેલું વિદ્યોતેજક મંડળ પરિસરનું વિશાળ ગ્રાઉન્ડ, કે જેમાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી તેમજ વિદ્યોતેજક મંડળના પ્રમુખ તથા અન્ય ટ્રસ્ટીગણ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જામનગર શહેરની જનતાની સુખાકારીના ભાગરૂપે આ મેદાનમાં વાહન પાર્કિંગ કરવા માટેનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે ઉપરોક્ત પરિસરમાં આવેલું જુનું બાલમંદિર વાળું બાંધકામ કે જે બિન ઉપયોગી અને જર્જરિત હોવાથી તેને તાત્કાલિક અસરથી ડીમોલીશન કરીને તોડી પાડવામાં આવ્યું છે, અને પાર્કિંગ માટે વિશાળ જગ્યા ખુલ્લી કરી દેવા માટે જમીન સમથળ કરાવવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં અહીં લાઈટીંગ કે જેના થાંભલા ફીટ કરી પાર્કિંગની પૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેથી નગરજનોને મેળામાં આવવા માટે તેમજ પોતાના વાહન પાર્ક કરવા માટેની સુવિધા પ્રાપ્ત થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial