Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના મિયાત્રામાં કૃષિમંત્રી દ્વારા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

શાળાની કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહૂર્તઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના મિયાત્રા ગામે રૂ.  ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને રૂ.  ૭ લાખ ૭પ હજારના ખર્ચે ગ્રામ પંચાયત ભવન પાસે સીસી રોડ અને પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહૂૃત કર્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, આ નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન ગામના પ્રશાસનને વધુ સુવ્યવસ્થિત બનાવશે, જ્યારે સીસી રોડ અને કમ્પાઉન્ડ વોલના વિકાસકાર્યો ગામના નાગરિકોને સુવિધાજનક માર્ગસંચાર તેમજ શાળા પરિસરમાં સુરક્ષા અને સુવિધાનો સીધો લાભ પહોંચાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ શહેરોની સાથે ગામડાઓમાં પણ અત્યાધુનિક સુવિધાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળી રહ્યો છે. સુજલામ સુખલામ જળ યોજના હેઠળ જળાશયોમાં વધારાનું પાણી ઠાલવવામાં આવે છે, જેના થકી ખેડૂતો વર્ષ દરમિયાન એક કરતા વધારે વખત પાકોનું વાવેતર કરી બમણી આવક મેળવી શકે છે. પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ગુજરાત સરકાર સર્વાંગી વિકાસ સાથે ખેડૂતોને પણ ફાયદો થાય તે દિશામાં કામગીરી કરી રહી છે.

આ કાર્યક્રમમાં અગ્રણી ડો. વિનોદભાઈ ભંડેરી, તાલુકા પંચાયતના સદસ્ય ભાનુબેન, અગ્રણી કુમારપાળસિંહ રાણા, હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુન્દ સભાયા, આજુબાજુના ગામના સરપંચ નીલેશાભાઈ, રાજભા, દિવ્યેશભાઈ, જીગ્નેશભાઈ, આગેવાનો, અધિકારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh