Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' જામનગરમાં વિવિધ વિષ્ણુ મંદિરો અને ભગવાન શ્રી કૃષ્ણનાં મંદિરો -હવેલીઓમાં દેવઉઠી એકાદશી-દેવદિવાળી પર્વ પર તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. મુહૂર્ત મુજબ સંધ્યા સમય વિધિવત રીતે છોડ સ્વરૂપ તુલસીજીના શાલીગ્રામ સ્વરૂપ વિષ્ણુજી સાથે વિવાહ કરાવવામાં આવ્યા હતા. ખંભાળીયા ગેઇટ પાસે આવેલ શ્રી માધવરાયજી મંદિરમાં મુખ્યાજી નેહલભાઇ ભટ્ટ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.કિસાન ચોક નજીક શ્રી દ્વારકાપુરી મંદિરમાં મુખ્યાજી રમેશભાઇનાં પરિવારજનો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી. રણજીત રોડ પર ચૌહાણ ફળી પાસે શ્રી પુરૂષોત્તમજી મંદિરમાં મુખ્યાજી કિશોરભાઇ દવે દ્વારા પણ પરંપરાગત રીતે ભગવાનનો વિવાહોત્સવ ઉજવાયો હતો. સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરે પણ મુખ્યાજી દર્શનભાઇ વૈદ્ય તથા બ્રાહ્મણો દ્વારા નિજ મંદિરમાં તુલસી વિવાહ ઉત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો. લીમડાલાઇન વિસ્તારમાં શ્રી આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે પણ ઉમંગપૂર્વક તુલસી વિવાહ ઉજવાયો હતો અને ભક્તો જાનૈયાઓ બની ધન્ય થયા હતાં. આ ઉપરાંત પુષ્ટી માર્ગીય શ્રી મોટી હવેલી, દાઉજીની હવેલી, શ્રી નાથજીની હવેલી ધર્મસ્થાનોમાં પણ તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial