Advertisement
Author: નોબત સમાચાર

ચા-નાસ્તો બનાવ્યા પછી માધાપર ભુંગાના પરિણીતાનું હાર્ટએટેકથી મૃત્યુ

અન્ય એક મહિલાને પણ ભરખી ગયો હૃદયરોગનો હુમલોઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૨૩: જામનગરના બેડી નજીકના માધાપર ભુંગામાં રહેતા એક પરિણીતાને હૃદયરોગનો હુમલો આવી જતા તેણીનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે વુલન મીલની ચાલીમાં વસવાટ કરતા અન્ય એક પરિણીતાને પણ હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જામનગર નજીકના બેડીમાં આવેલા માધાપર ભુંગા ગામમાં રહેતા રૂકીયાબાનુ ઝાકીરભાઈ જામ નામના ચોવીસ વર્ષના પરિણીતા ગઈકાલે સવારે પોતાના ઘરે હતા.

આ વેળાએ તેઓને પતિનો ચા-નાસ્તો બનાવ્યા પછી છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું પતિ ઝાકીરભાઈ હારૂનભાઈ જામે જાહેર કર્યું છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક જૂની ચાલીમાં વસવાટ કરતા આશાબેન ચેતનભાઈ ઘાવરી (ઉ.વ.૩૭) નામના પરીણીતાને ગઈકાલે બપોરે છાતીમાં દુખાવો ઉપડતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પતિ કેતનભાઈ કિશનભાઈ ઘાવરીએ પોલીસમાં જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh