Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પોલીસ કર્મચારીની કરાઈ હતી ધરપકડઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક આસામીએ ખંભાળિયા નાકા પોલીસચોકીના એએસઆઈ રૂ.૧૦ હજારની લાંચ માંગતા હોવાની એસીબીમાં કરેલી ફરિયાદમાં ગોઠવાયેલા છટકામાં આ એએસઆઈ વતી રૂ.૮ હજાર સ્વીકારતા પોલીસકર્મી ઝડપાઈ ગયા હતા. બંનેની ધરપકડ થઈ હતી. જેલહવાલે રહેલા પોલીસકર્મીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના એક આસામી સામે પોલીસમાં અરજી કરવામાં આવી હતી. તે અરજીની તપાસ ખંભાળિયા નાકા પોલીસચોકીમાં આવી હતી. જેની સામે અરજી થઈ હતી તે વ્યક્તિને હેરાન ન કરવા, લોકઅપમાં ન રાખવા અને તાત્કાલિક રજૂ કરી દેવા માટે રૂ.૧૦ હજારની લાંચ માંગવામાં આવી હોવાની તે વ્યક્તિએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.
એસીબીએ ગોઠવેલા છટકામાં યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ નામના પોલીસ કર્મચારી વતી પુષ્પરાજસિંહ ગિરીરાજસિંહ જાડેજાએ રૂ.૮ હજાર સ્વીકારતા જ એસીબી સ્ટાફે પુષ્પરાજસિંહની સ્થળ પરથી અટકાયત કરી લીધી હતી અને તેની સામે અને યુવરાજસિંહ ગોહિલ સામે ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
જેલહવાલે થયેલા બંને આરોપી પૈકીના પુષ્પરાજસિંહે જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી જેમાં તેમના વકીલે દલીલ કરી હતી કે, પુષ્પરાજસિંહ દ્વારા લાંચની માગણી કરાઈ નથી તેમજ લાંચની રકમ ટેબલના ખાડામાંથી મળી છે તેની સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી રંગેહાથે ઝડપાયા છે, લાંચની રકમ રીકવર થઈ છે, રેકોર્ડિંગમાં પણ લાંચની રકમ આપી જાવ તેવું ખૂલ્યું છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી રદ્દ કરી છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial