Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષ પહેલાં થઈ હતી હત્યાઃ
જામનગર તા. ૧: જામનગરના કિસાન ચોક વિસ્તારમાં પાંચ વર્ષ પહેલાં થયેલી એક હત્યાના એક આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના કિસાન ચોક વિસ્તારમાં ગઈ તા.૨૦-૩-૨૦ના દિને રિક્ષામાં મોટા અવાજે ટેપ વગાડતા શખ્સોને ઈસુફ આમદ ખફીએ ટપારતા તેમના પર શંકરટેકરીમાં રહેતા જીતેન્દ્ર જગદીશ ચાવડા ઉર્ફે ટકા સહિતના ત્રણ વ્યક્તિએ હુમલો કર્યાે હતો.
આ શખ્સોએ છરી હુલાવી દેતા ઈજા પામેલા ઈસુફભાઈનું મૃત્યુ થયું હતું. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જીતેન્દ્ર ઉર્ફે ટકાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કે.પી. આશર, આનંદ ગોહિલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial