Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગુરુદ્વારામાં ગુરુનાનક દેવજીની પપ૬ મી જન્મ જયંતીની ચતુર્દિવસિય ઉજવણી

દરરોજ પ્રભાત ફેરીઃ બુધવારે સેહજ પાઠ સાહેબની પુર્ણાહૂતિઃ શબ્દકીર્તન

                                                                                                                                                                                                      

જામનગર શહેરમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંઘ સભામાં ગુરુનાનક દેવજીની પપ૬ મી જન્મ જયંતીની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ગુરુદ્વારા ગુરુ સિંઘ સભા સ્થળેથી પ્રભાત ફેરી સવારે પ-૪પ વાગ્યે નીકળશે, અને અલગ અલગ ૪ દિવસ સુધી શહેરના ચાર મુખ્ય માર્ગ ઉપરથી પસાર થશે.  જેના પ્રારંભે ગઈકાલે સવારે ગુરુદ્વારાથી સાત રસ્તા અને ત્યાંથી ક્રિકેટ બંગલા થઈ નગર ભ્રમણ કરીને ગુરુદ્વારામાં પરત ફરી હતી. ત્યારપછી આજે સવારે ગુરુદ્વારાથી અંબર ચોકડી, ઝુલેલાલ મંદિર, બેડીગેટ, ટાઉનહોલ, લીમડાલાઈનથી ગુરુદ્વારામાં પરત ફરી હતી. આવતીકાલે તા. ૧-૧૧-ર૦રપ ના ગુરુદ્વારાથી ભીડભંજન મંદિર, લાખોટા તળાવ, જુની આરટીઓ કચેરી, ન્યુ એસટી સ્ટેન્ડ, ક્રિકેટ બંગાલ થઈ પરત ગુરુદ્વારામાં પહોંચશે, જ્યારે તા. ર-૧૧-ર૦રપ ના દાંડિયા હનુમાન મંદિર, ડોમિનોઝ પિઝા જોગર્સ પાર્ક, વિરલ બાગ, ડી.કે.વી. સર્કલથી પરત ગુરુદ્વારા સુધી પહોંચશે. આ ઉપરાંત ગુરુદ્વારામાં સેહજ પાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો છે, જ્યારે બુધવાર, તા. પ-૧૧-ર૦રપ ના દિવસે સવારે ૧૦ વાગ્યે સેહજ પાઠ સાહબેની પુર્ણાહૂતિ થશે, તે પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે કાર્યક્રમની સંપૂર્ણ સમાપ્તિ બપોરે ર વાગ્યે રાખવામાં આવી છે. તે પછી ગુરુ કા લંગરનું આયોજન રાખવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh