Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના લીમડાલાઈનમાં સીએસસી સેન્ટર આજથી ર૪ કલાક કાર્યરત બનશે

પાન કાર્ડ, પાસપોર્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જરૂરિયાતમંદ નાગરિકોને તેમની અનુકૂળતા મુજબ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મળી રહે તે માટે ગુજરાતનું સૌ પ્રથમ ર૪ કલાક કાર્યરત કોમન સર્વિસ સેન્ટર જામનગરમાં શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી આ વિશેષ ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ થયો છે.

આજની વ્યસ્ત જીવનશૈલીમાં નોકરિયાત અને મધ્યમ વર્ગિય પરિવારો માટે ઓફિસના કલાકો દરમિયાન સરકારી સેવાઓ મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવું ઘણીવાર મુશ્કેલી હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ સેવા કેન્દ્રના સંચાલકે ર૪ કલાક સેવાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ કેન્દ્ર પર પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો, વીજળી, ગેસ અને ટેલિફોન બીલ તથા એલઆઈસી પ્રીમિયમ જેવા બીલ પેમેન્ટ, જીવન પ્રમાણપત્ર, વીમા, રેલવે અને પ્લેન ટિકિટ બુકીંગ જેવી યાત્રા સંબંધિત સેવાઓ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઉદ્યોગ આધર અને ટેલિ-લો કાનૂની સલાહ જેવી વ્યવસાયિક અને કાયદાકીય સેવાઓ પણ અહીંથી મળી રહેશે. લીમડાલાઈન, શેરી નં. ર મા આવેલું આ કેન્દ્ર શહેરના તમામ નાગરિકો માટે ખુલ્લુ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh