Advertisement
Author: નોબત સમાચાર

આયુર્વેદિક પીણાના નામે વેચાતા કેફી સીરપના કૌભાંડમાં એક આરોપી ઝબ્બે

દ્વારકા પોલીસે રાજકોટમાંથી દબોચ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક સીરપના નામે વેચાતા કેફી પીણાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યાે હતો. જેમાં એક પેઢીના જીએસટી નંબરવાળુ બીલ પ્રાપ્ત થયું હતું. ત્યારપછી આગળ વધેલી તપાસમાં રાજકોટના એક આસામીની દ્વારકા પોલીસે ધરપકડ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક પ્રોડ્કટના નામે વેચાતા કેફી પીણાના જથ્થાને કેટલાક સમય પહેલાં પોલીસે પકડી પાડી આ કૌભાંડનો પર્દાફાશ કર્યાે હતો. જેમાં એક બીલમાંથી મળેલા જીએસટીના નંબરના આધારે સંગીતા આયુર્વેદિક કેર નામની પેઢીના પ્રોપરાઈટર બ્રિજેશ જાદવનું નામ પણ ખૂલ્યું હતું.

આ શખ્સની તપાસ કરાતી હતી. જેમાં દ્વારકા પોલીસ મથકની ટીમ પીઆઈ આકાશ બારસીયાની સૂચના અને પીએસઆઈ ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ રાજકોટ ધસી ગઈ હતી. ત્યાંથી આરોપીની અટકાયત કરી તેને દ્વારકા ખસેડવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh