Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિવૃત્ત થયેલા ત્રણ અને હાલમાં ફરજ બજાવતા
જામનગર તા. ૬: ગુજરાત સરકાર ના નાણા વિભાગ દ્વારા તા.૧/૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષક સહિત રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો ઠરાવ થયો હતો. જેના અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા કેમ્પ યોજી જે તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે દરખાસ્ત સાથે રુબરુ કેમ્પમાં કાયેવાહી હાથ ધરવામાં આવતા અગાઉ નિવૃત્ત થયેલા ૩ અને હાલ નોકરી માં ફરજ બજાવતા ૬૪ પ્રાથમિક શિક્ષક મળી કુલ ૬૭ પ્રાથમિક શિક્ષક મિત્રો ને જૂની પેન્શન યોજનામાં સમાવવા નિયામક કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
હવે આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના લાભ મળશે. આ કેમ્પ દરમ્યાન અગાઉ થી ખૂબ જ સારી પૂર્વ તૈયારી કરવામાં આવતા શાસનાધિકારી અને કચેરી સ્ટાફ તેમજ શિક્ષકોની ટીમના પ્રયાસો સફળ થતા મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે જામનગર તમામ લાભાર્થી શિક્ષક વતી નિયામક ઓફિસ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. તેમ મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી મહામંત્રી રાકેશભાઈ માકડિયાનીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial