Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પેઢીએ રૂ.ર૩ લાખથી વધુ રકમ વસૂલવા કરેલો દાવો રખાયો મંજૂર

વ્યાજ તથા ખર્ચ પણ ચૂકવવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરની એક પેઢી પાસેથી અંજારના વેપારી દંપતીએ બોક્સ મંગાવ્યા પછી તેની રૂ.ર૩ લાખથી વધુની રકમ ચૂકવી ન હતી. તે રકમ માટે કરાયેલો દાવો અદાલતે મંજૂર રાખ્યો છે.

જામનગરમાં હર્ષ ૫ેકેજીંગની પેઢી ચલાવતા હેમંતસિંહ પ્રતાપસિંહ જાડેજા પાસેથી કચ્છના અંજારમાં રીવા પરફ્યુમ્સ નામની પેઢી ચલાવતા રજનીબેન નિરવભાઈ તથા નિરવ યોગેશભાઈ ઠક્કરે રૂ.૨૩૬૫૮૩૦ના બોક્સ કાર્ટુન મંગાવ્યા હતા.

તેની રકમ ચૂકવવામાં ન આવતા હેમંતસિંહે નોટીસ પાઠવી હતી. તેમ છતાં રકમ ન ચૂકવાતા મિડિયેશનમાં અરજી કરાઈ હતી. તેની ત્રણ નોટીસ મળવા છતાં સામાવાળા હાજર થયા ન હતા આથી જામનગરની દીવાની કોર્ટમાં સમરી દાવો કરવામાં આવ્યો હતો. સમન્સ મળ્યા પછી હાજર થયેલા પ્રતિવાદીએ બચાવનામુ રજૂ કર્યું હતું. વાદીએ સમન્સ ફોર જજમેન્ટની અરજી કરી હતી. તેની નોટીસ મળવા છતાં પ્રતિવાદી હાજર ન થતાં વાદીના વકીલે કરેલી અરજીને ધ્યાને લઈ અદાલતે બાકી રકમ વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh