Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકામાં
ખંભાળિયા તા. ૧૩: જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ 'દ્વારકા ઉત્સવ ર૦રપ' યોજાશે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૬-૮-ર૦રપ ને જન્માષ્ટમીના દિવસે સાંજે ૮ કલાકે હાથી ગેટની બાજુમાં નગરપાલિકા પાર્કિંગ ગ્રાઉન્ડ દ્વારકામાં મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં દ્વારકા ઉત્સવ ર૦રપ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
જેમાં લોકસાહિત્યકાર સુખદેવ ગઢવી દ્વારા પારંપારિક લોકગીતો, શ્રીકૃષ્ણ મિશ્ર રાસ લોકનૃત્ય તથા સિનેમેટિક મેગા નાટક રાજ રાજેશ્વર શ્રીકૃષ્ણની પ્રસ્તુતિ કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial