Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના અરબી સમુદ્ર કિનારે બિરાજતા શ્રી રત્નેશ્વર મહાદેવ

વહાણવટીઓની આસ્થાના પ્રતીક સમાન

                                                                                                                                                                                                      

દ્વારકાના અરબી સમુદ્રના કિનારે ગાયત્રી શકિતપીઠ પાસે શ્રી રત્નેશ્વર મહાદેવનું પ્રાચીન ઐતિહાસિક શિવાલય આવેલું છે. પ્રાચીન દ્વારકામાં વહાણવટું દ્વારા વિદેશ વેપાર સમુદ્ર માર્ગે થતો. દ્વારકાનું રૂપેણબંદર એ માલનું આવાગમનનું મુખ્ય મથક હતું. અરબી સમુદ્રમાં ૪ નીકળતા વહાણો રત્નેશ્વર મહાદેવ પાસેથી પસાર થાય ત્યારે દ્વારકાનો કિનારો છે તેવો ખ્યાલ આવતો. રત્નાકર સમુદ્રના કિનારે શિવાલય સ્થાપિત હોવાથી શ્રી રત્નેશ્વર મહાદેવ તરીકે આ શિવાલય ખ્યાતિપ્રાપ્ત છે.

પ્રાચીન સમયમાં વહાણવટીઓની આસ્થાનું પ્રતીક ગણાતું આ શિવાલય દ્વારકાના પ્રાચીન શિવાલયો પૈકીનું એક ગણાય છે. હાલમાં શ્રાવણ માસ હોવાથી સ્થાનિક શિવભકતો બહોળી સંખ્યામાં શિવજીની પૂજા-અર્ચના કરવા માટે આ શિવાલયે પધારે છે. ઉપરાંત બહારથી પધારતા યાત્રિકો દ્વારકા દર્શનના સાઈટ સીનની સફર કરવા નીકળે ત્યારે રત્નેશ્વર મહાદેવને અવશ્ય શિશ ઝુકાવે છે. રત્નેશ્વર મહાદેવ નજીક રૂદ્રાવતાર પંચમુખી હનુમાનજીનું મંદિર પણ છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અવસાન બાદ ગાંધીજીની ચિતાભસ્મનું સમુદ્રમાં વિસર્જન આ શિવાલય પાસેથી કરવામાં આવ્યુું હતું. તેના પ્રતીકરૂપે આજે રત્નેશ્વર મહાદેવ સમિપ ગાંધીજીની પ્રતિમા સ્થાપિત થયેલી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh