Advertisement
Author: નોબત સમાચાર

ધુડશિયા-નાના થાવરીયામાં નવનિર્મિત બે ગ્રામ પંચાયત ભવનોનું કરાયું લોકાર્પણ

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધુડશીયા તથા નાના થાવરીયાના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં તેમણે કહ્યું હતુ કે ગામડાઓમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

જામનગર તાલુકાના ધુડશીયા અને નાના થાવરીયા ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.ગામડાઓના વિકાસના કામો ઝડપથી પૂર્ણ થઈ રહૃાા છે અને લોકોના પ્રશ્નોનો પણ તાત્કાલિક ઉકેલ લાવવામાં આવી રહૃાો છે. ગામડાઓમાં શિક્ષણ, કૃષિ અને રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓને સુધારવા માટે સરકાર પૂરતી ગ્રાન્ટ ફાળવી રહી છે. ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે સરકાર ટેકાના ભાવે જણસની ખરીદી કરીને તેમને મદદ કરી રહી છે. આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, તાલુકા પંચાયત સભ્ય  ભાનુબેન, અગ્રણીઓ સર્વ કુમારપાલસિંહ રાણા, ભરતસિંહ જાડેજા, સ્થાનિક સરપંચઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh