Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટી દ્વારા
ખંભાળીયા તા. ૩૧: ખંભાળીયા નજીક રામનગર તથા રામનાથ સોસાયટી વિસ્તારમાં બે દિવસથી નીકળતા હેવી ટ્રાન્સફોર્મરવાળા ટ્રક ટ્રેલર નીકળતા વાયરો તુટવા, વૃક્ષોનો સોથ વળવો, વિગેરે બાબતે આમઆદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને તંત્રની મીલીભગતનો આક્ષેપ કરીને સંબંધિતો, કસુરવારો સામે કડક પગલાની માંગ કરી છે.
પી.જી.વી.સી.એલ. એ તેમની મંજુરી વગર ૧૯૦ ટન જેટલા વજનનું આ ટ્રેલર રામનાથ વિસ્તારમાંથી પસાર થતાં પુલની ક્ષમતાથી વધુ વજન લઈ ટ્રેલર નીકળતા તેને મોટું નુકસાન થયું છે તથા સંખ્યાબંધ વૃક્ષોની ડાળીઓ તુટવી, વૃક્ષો તુટવા, વાયરો તુટવા અને લોકોમાં પણ વીજ પુરવઠો બંધ રહેતા હાલાકી થઈ હોય તથા પરિવહન માટે વીજતંત્રની મંજુરી વગર આવું પરિવહન કરી નુકસાન કર્યું હોય, તાકીદે પગલાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial