Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના જાયવા ગામમાં પરપ્રાંતીય શ્રમિકનો આપઘાત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ ધ્રોલના જાયવા ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક પરપ્રાંતીય યુવાને વતનમાં જવાની ઈચ્છા પિતા સમક્ષ વ્યક્ત કર્યા પછી તેના પિતાએ થોડા દિવસ પછી આવવાનું કહેતા આ યુવાને ઝેર પીધુ હતું. આ યુવાનનું મૃત્યુ થયું છે.

ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં આવેલા મહેશભાઈ ચાવડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના જલખા ગામના વતની અર્જુનભાઈ કિશોરભાઈ ડાવર નામના વીસ વર્ષના શ્રમિકે ગઈ તા.રના દિને પોતાના વતનમાં પિતાને ફોન કરીને વતન પરત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ વેળાએ પિતા કિશોરભાઈ ડાવરે અત્યરે આપણા વતનમાં ક્યાંય મજૂરીકામ ચાલુ નથી તેથી થોડા દિવસ ત્યાં કામ કરી લેવાનું કહેતા અર્જુનને મનમાં લાગી આવ્યું હતું. તેથી આ યુવાને ગઈ તા.રના ખેતરમાં રાખવામાં આવેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેની જાણ થતાં અર્જુનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પિતા કિશોરભાઈએ પોલીસને જાણ કરી છે. ધ્રોલ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૃ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh