Advertisement
Author: નોબત સમાચાર

મિલકતનો કબજો માલિકને સોંપી આપવાનો હુકમ અપીલમાં યથાવત્

નીચેની કોર્ટે કર્યાે હતો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરની એક મિલકત તેના માલિકને સોંપી આપવાના અદાલતના આદેશને પડકારતી અપીલ કરાઈ હતી. ઉપલી અદાલતે પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં નાગજીભાઈ કલ્યાણજી વઘોરાની વારસાઈ હક્કની મિલકત આવેલી છે. તેમાં મુનીબેન ફર્નાન્ડીઝ નામના મહિલાએ કબજો કરી લીધાની રાવ સાથે નાગજીભાઈએ સિવિલ કોર્ટમાં દાવો કર્યાે હતો. તે દાવો અદાલતે મંજૂર રાખી જગ્યા ખાલી કબજે સોંપી આપવા હુકમ કર્યાે હતો. તે હુકમને મુનીબેને જિલ્લા અદાલતમાં અપીલથી પડકાર્યાે હતો. અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. નાગજીભાઈ તરફથી વકીલ મુકેશ મકવાણા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh