Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજનઃ
જામનગર તા. ર૭: 'છોટીકાશી' જામનગરમાં શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા ભાદરવા સુદ એકાદશી નિમિત્તે તા. ૩-૯-ર૦રપ ને બુધવારે ખંભાળિયા ગેઈટ બહાર કિસાન ચોક પાસે આવેલ શ્રી દ્વારકાપુરી મંદિરે ધન એકાદશી પર્વ પર વિવિધ ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી દ્વારકાપુરી મંદિરમાં બપોરે ૩ થી સાંજે ૭-૩૦ દરમિયાન ધ્વજાજીની શોભાયાત્રા, ધ્વજા પૂજન-ધ્વજારોહણ, કીર્તન મંડળી દ્વારા કીર્તન અને રાસોસત્વ તથા ગોરસ મનોરથ યોજાશે, જેમાં બહેનો ગોરસ ભરેલ મટુકી મસ્તક પર મૂકી પ્રદક્ષિણા કરશે.
ચાતુર્માસ દરમિયાન યોગનિદ્રામાં પોઢેલા ભગવાન વિષ્ણુ ભાદરવા સુદ એકાદશીએ પડખું ફરે એવી માન્યતા હોવાને કારણે આ એકાદશીને પરિવર્તીની એકાદશી પણ કહેવામાં આવે છે.
આ ધર્મોત્સવમાં મનોરથી તરીકે જોડાવા ઈચ્છતા વૈષ્ણવોને સંસ્થાના પ્રમુખ ભરતભાઈ કાનાબાર (મો. ૯૮૪૪ર પ૧૧પર) નો સંપર્ક સાધવા આયોજકોએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial