Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪: દ્વારકા જિલ્લાના એક આસામીનું વીજ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓના વીમા અંગે વળતર ચૂકવવાનો ઈન્કાર કરાતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા નિતેશપરી કરણપરી ગોસાઈ નામના આસામીએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું. જેમાં એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા પ્રિમિયમ વસૂલ્યા પછી તેઓને રૂ.૧૦ લાખનો વીમો આપ્યો હતો. ત્યારપછી વીજ આંચકો લાગતા નિતેશપરીનું મૃત્યુ નિપજ્યું હતું. તેઓના વારસદાર હાર્દિકપરીએ વીમા કંપની સમક્ષ રૂ.૧૦ લાખનો કલેઈમ રજૂ કર્યાે હતો. તે કલેઈમ વીમા કંપનીએ કેન્સલ કરતા હાર્દિકપરીએ ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતા ફોરમે રૂ.૧૦ લાખની વીમાની રકમ ફરિયાદની તારીખથી છ ટકા વ્યાજ સાથે આપવા અને રૂ.પ હજાર ખર્ચ પેટે અલગથી ચૂકવવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, વિમલ ચૌહાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial