Advertisement
Author: નોબત સમાચાર

સપડેશ્વર સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ગણેશ ભક્તો માટે સેવા યજ્ઞ યોજાશે

મોટા થાવરીયા પાસે ૨૧માં વર્ષે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા નજીક શ્રી સપડેશ્વર સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા આ વખતે ૨૧માં વર્ષે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 જામનગર થી સપડા ગણેશ મંદિરના દર્શનાર્થે જામનગરના અનેક ગણેશ ભક્તો સાંજ અથવા રાતથી જામનગરથી પદયાત્રા કરીને સપડા જવા માટે પ્રયાણ કરી છે, ત્યારે તેઓને રસ્તામાં ભોજન પ્રસાદ ચા, પાણી નાસ્તા, સહિતની તમામ સુવિધાઓનો લાભ મળી રહે, તે હેતુથી પ્રતિવર્ષ શ્રી સપડેશ્વર સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા સેવા કેમ્પ યોજાય છે.

 જેના અનુસંધાને આ વખતે સતત ૨૧મી વર્ષે સપડેશ્વર ગ્રુપ ઉપરાંત હરિહર ગ્રુપ-રોહિત મારૂ અને તેઓની ટીમ વગેરે દ્વારા મોટા થાવરીયા ગામ પાસે આવેલા શ્રી રમણ મહર્ષિ આશ્રમ પાસે આ સેવા યજ્ઞ યોજાયો છે, અને સ્વયંસેવકોની મોટી સંખ્યામાં રાત્રે ૯ વાગ્યાથી ગણેશ ચતુર્થીના દિવસે સવાર સુધી સેવારત રહેશે અને તમામ પદયાત્રી માટે ભોજન પ્રસાદ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડશે.

જેના માટેની આજે તડામાર તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર શહેર અને આસપાસના વિસ્તારના અનેક ગણેશ ભક્તો સેવા કેમ્પનો ઉત્સાહભેર લાભ લે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh