Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની સામાન્ય સભામાં
જામનગર તા. ૨૯ઃ જામનગર જિલ્લાના ખેડૂતો અને સહકારી ક્ષેત્રના હોદ્ેદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા બદલ પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યકત કર્યો હતો. અને જીએસટી સુધારણાના ફાયદા, કૃષિ ઉપકરણો, ખાતર તથા બિયારણના ભાવો સસ્તા થવાને કારણે થયેલી આર્થિક રાહત અને બચતના કદમને બિરદાવ્યા હતાં.
જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન અત્યંત પ્રેરક અને લાગણીસભર પ્રસંગ જોવા મળ્યો હતો. જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના હોદ્દેદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સક્રિય પ્રયાસો અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની તેમની પ્રતિબદ્ધતા બદલ, પોસ્ટ કાર્ડ લખીને હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા અને મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ જોડાયા હતા.
ખેડૂતોએ પોસ્ટ કાર્ડમાં લખેલી લાગણીઓ સકારાત્મક પરિવર્તનનું પ્રતિબિંબ હતી, જેમાં પ્રધાનમંત્રીને આત્મનિર્ભર ભારતના પ્રણેતા તરીકે બિરદાવવામાં આવ્યા હતા. જેમણે સ્વદેશી અપનાવવાની પ્રેરણા આપીને લાખો લોકોનું જીવન બદલ્યું છે. આ પત્રોમાં ખાસ કરીને જીએસટી સુધારણાના ફાયદા અને કૃષિ ઉપકરણો, ખાતર તથા બિયારણના ભાવો સસ્તા થવાને કારણે થયેલી આર્થિક રાહત અને બચત બદલ આભાર વ્યક્ત કરાયો હતો.
ખેડૂત પરિવારોએ આનંદ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રીના પ્રયાસો થકી તેમના જીવનમાં સમૃદ્ધિ આવી છે અને હાથ પર પૈસાની બચત થવાથી તેઓ ખુશીથી તહેવારોની ઉજવણી કરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial